Karuna Abhiyan 2024 | કરૂણા અભિયાન 2024

Short Briefing: Karuna Animal Ambulance -1962 | Animal Helpline in Gujarat | Animal Helpline Number 1962 | Animal Helpline Number Gujarat Government | Save Bird Helpline Number | Please Save Bird

ભારત તહેવારો માટે ખૂબ જ પ્રખ્યાત છે. દેશમાંં વિવિધ તહેવારની ઉજવણી થાય છે. આમાં ઉત્તરાયણ ખૂબ જ પ્રસિદ્ધ તહેવાર છે. ઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ પક્ષીઓ ઘાયલ થાય છે. જેની સમયસર સારવાર મળે તે ખૂબ જરૂરી છે. આ વિશેષ ઉદ્દેશ્ય અને જીવદયાના ભાવ સાથે ગુજરાત સરકારે શરૂ કરેલો સેવાયજ્ઞ એટલે કરુણા અભિયાન 2024. આ યોજના ગુજરાતની વન વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ છે. કોઈ પક્ષી જીવ ન ગુણાવે તે માટે રાજ્ય સરકારનો શ્રેષ્ઠ અભિગમ એટલે Karuna Abhiyan 2024. ઉત્તરાયણ પર ઘવાયેલાં પક્ષીઓની સારવાર માત્ર અગાઉ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ચાલુ કરેલ છે. 

Karuna Abhiyan 2024

ગુજરાત સરકારના નાયબ પશુપાલન નિયામક દ્વારા કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 બહાર પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સનું સમગ્ર સંચાલન 108 GVK EMRI, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા મુંગા પશુઓને ઈજા કે રોગ માટે તાત્કાલિક તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ચાલુ કરેલ છે.

Highlight Points Of Karuna Abhiyan 2024

અભિયાનનું નામકરુણા અભિયાન 2024
અભિયાનનો મુખ્ય ઉદ્દેશઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે
અને પક્ષીઓને બચાવવાનું અભિયાન
વિભાગવન વિભાગ,ગુજરાત
હેલ્પલાઈન નંબર1962
WhatsApp Helpline No08320002000
Govt.Official WebsiteForest Gujarat

Link for Wildlife Helplines

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ઈજા પામેલા પશુઓની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હેલ્પલાઈન માટે લિંક જાહેર કરેલ છે. આ હેલ્પલાઈન લિંક માનવરહિત છે. જેમાં Reply Auto થાય છે. તમારી આસપાસ કોઈપણ વન્યજીવન સંબંધિત મુદ્દા માટે જેમ કે બચાવ માટેની વિનંતી, પશુ મૃત્યુના વળતર માટેની અરજી અથવા કોઈપણ વન ગુનો વગેરેની સૂચના આપવા માટે ઉપયોગ કરી શકાય છે. 

આ હેલ્પલાઇન લિંક ફક્ત જંગલી પ્રાણીઓ માટે છે, પાળતુ પ્રાણી, રખડતા કૂતરાઓ, પશુઓ વગેરે માટે નથી. આવા પ્રાણીઓ માટે કૃપા કરીને એનિમલ હેલ્પલાઈન 1962 નો ઉપયોગ કરવા વિનંતી છે. આ ઉપરાંત પક્ષીઓની સારવાર કેન્‍દ્રોની માહિતી માટે WhatsApp Number +918320002000 પર “KARUNA” લખીને મોકલો. આ હેલ્પલાઇન લિંક પરથી ગુજરાતના 33 જિલ્લાના તમામ તાલુકાઓના હેલ્પલાઈન મોબાઈલ નંબર આપેલા છે. જેના પર કોલ કરીને ઘવાયેલાં પક્ષીઓની માહિતી આપી શકો છો.

Animal Helpline Number1962
Wildlife Crime Kindly Contact CF-Wildlife Crime Number9727727826

Animal Helpline by Forest Department

Forest Department, Government of Gujarat દ્વારા ઉત્તરાયણના તહેવાર સમયે પક્ષીઓને બચાવવા માટે જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.  જો તમારી આસપાસ ઉત્તરાયણ સમયે ઘાયલ હોય તો કરુણા અભિયા 2023 ના Whatsapp પર માહિતી મોકલો. વન વિભાગ દ્વારા નીચેની બાબતોનું ખાસ ધ્યાન આપવામાં જણાવવામાં આવેલ છે.

    ● પતંગ સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી ન ઉડાવવો જોઈએ.

    ● પતંગ ચગાવવા ચાઈનીઝ દોરી તથા કાચની દોરીનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં કરવો નહીં.

    ● કોઈપણ વ્યક્તિ જો ચાઈનીઝ દોરી વેચતો જણાય તો પોલીસ તથા વન વિભાગને જાણ કરવી.

    ● તમારી આજુ-બાજુ કોઈપણ પ્રકારનું ઘાયલ પક્ષી જોવા મળે તો તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્રનો સંપર્ક કરવો.

Karuna Helpline Official Map Link

Forest Department દ્વારા ઓનલાઈન Map પર  Karuna Abhiyan 2024 હેઠળ પક્ષી નિદાન કેન્દ્રો જાહેર કરેલા છે. Online Map Link માં દર્શાવેલ મેપમાં આઈકોન પર ક્લિક કરવાથી વધારાની માહિતી મેળવી શકાશે. આઈકોન પર ક્લિક કરવાથી ગુજરાત રાજ્યના તમામ પક્ષી કેન્દ્રો નામ, મોબાઈલ નંબર અને અન્ય જરૂરી વિગતો દેખાશે. જેના આધારે આપણી આસપાસ ઘવાયેલા કે ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મેળવી શકાય.

Karuna-Abhiyan-Map
Image Source:- Forest Department Official Website

Karuna Abhiyan 2024 Whatsapp Helpline

ગયા વર્ષે 10,000 થી પણ વધારે પક્ષીઓ ઉત્તરાયણના સમયે ઘાયલ થયેલા હતા, જેમાં અંદાજિત 835 થી વધારે પક્ષીઓના કરુણ મૃત્યુ પામેલા હતા. જેને ધ્યાને રાખીને વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરુણા અભિયાન-2023 શરૂ કરવામાં આવેલ છે. આ અભિયાન હેઠળ હેલ્પલાઈન નંબર જાહેર કરેલા છે. જેમાં WhatsApp Animal Helpline જાહેર કરેલ છે. 

● કરુણા Whatsapp હેલ્પલાઈન નંબર 08320002000 પર “Karuna” ટાઈપ કરીને મેસેજ કરવાનો રહેશે.

Important Points of Karuna Abhiyan 2024

વન વિભાગની વેબસાઈટClick Here
પક્ષી હેલ્પલાઈન નંબર1962
પક્ષી વ્હોટ્સઅપ
હેલ્પલાઈન નંબર
08320002000
પ્રાણીઓની તસ્કરી બાબતે
હેલ્પલાઈન નંબર
9727727826
પક્ષી નિદાન કેન્દ્ર જાણવાની લિંકClick Here
Home PageClick Here

Karuna-Abhiyan-for-Bird

FAQs

કરુણા અભિયાન-2024 કયા વિભાગ દ્વારા ચાલુ કરેલ છે? 

ગુજરાત રાજ્યના વન વિભાગ દ્વારા કરુણા અભિયાન ચાલુ કરેલ છે.

Karuna Animal Ambulance હેલ્પલાઇન નંબર કયો છે?

ઘાયલ થયેલા પક્ષીઓને સત્વરે સારવાર માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ નંબર 1962 છે.

વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની તસ્કરી કે ચોરી થતી હોય તો કયા નંબર પર સંપર્ક કરવો?

ગુજરાતમાં વન્ય પ્રાણીઓ તસ્કરી થતી હોય તો વન વિભાગના CF-Wildlife Crime 9727727826 નંબર પર સંપર્ક કરી શકાય છે.

કરુણા અભિયાન 2024 હેઠળ whatsapp નંબર કયો છે?

ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કરુણા અભિયાન માટે  08320002000 Whatsapp Number જાહેર કરેલો છે. આ વ્હોટસએપ પર “Karuna” ટાઈપ કરીને મેસેજ કરવાનો રહેશે.

ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના પક્ષી નિદાન કેન્દ્ર જાણવા માટે online Map માટે કઈ લિંક છે?

ગુજરાતમાં કોઈપણ સ્થળે પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે વન વિભાગ દ્વારા ઓનલાઈન મેપ https://cmogujarat.gov.in/en/photos/karuna-abhiyan-2024 ની લિંક જાહેર કરેલ છે.


અમારી વેબસાઈટ દ્વારા પણ નમ્ર વિનંતી કરીએ છીએ

ઉત્તરાયણના પર્વ નિમિત્તે આનંદ-ઉલ્લાસ સાથે પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરીએ. અમારી વેબસાઈટ https://govt-scheme.com  દ્વારા તમામ વાંચકો અને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે વન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ કરુણા અભિયાન 2024 નિયમો અને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીએ. સાથે સાથે તમારી આસપાસ ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે Karuna Helpline 2024 1962 પર કોલ કરવો. આ વેબસાઈટ આપેલા તમારી આસપાસ પક્ષી નિદાન કેન્દ્રના સંપર્ક નંબર મેળવીને ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે મદદ કરીએ. અને આ સેવાના યજ્ઞમાં આહુતિ આપીએ.

Hello friends, my name is Kinjal Bhavsar, I am the Writer and Founder of this blog and share all the information related to all government schemes which can be helpful for all indians through this website

Leave a Comment